Advertisement
Author: નોબત સમાચાર

પરિણીતા પર દુષ્કર્મ ગુજારવાના આરોપમાં ધુંવાવના આરોપીની મુક્તિ

પરિણીતાને છૂટાછેડા લેવડાવ્યાનો આરોપઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના ધુંવાવ ગામના એક શખ્સ સામે પરિણીતા પર દુષ્કર્મ ગુજારવા અંગે જે તે વખતે પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં વસવાટ કરતા મનોજ રઘુભાઈ જાદવ નામના શખ્સે એક પરિણીતાને લગ્ન કરવાની લાલચ આપી તેણી પર દુષ્કર્મ ગુજાર્યા પછી છૂટાછેડા લેવડાવ્યા હતા અને તે પછી પણ દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

પોલીસે આઈપીસી ૩૭૬ (ર) (એફ) (એન) હેઠળ ગુન્હો નોંધી મનોજ રઘુભાઈ જાદવની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી જતા અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh