Advertisement
Author: નોબત સમાચાર

જામનગર શહેરમાં કોરોના સંક્રમણ ઘટતા રાહત

શનિ-રવિમાં ૪ કેસ નોંધાયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરમાં છેલ્લા થોડા દિવસથી કોરોના સંક્રમણ વકરતા દૈનિક ૮ થી ૧૦ કેસ નોંધાતા હતા પરંતુ સપ્તાહના અંતે કોરોના સંક્રમણમાં ઘટાડાનાં સંકેતથી રાહત અનુભવાઈ હતી.

ગત ૨૧ તારીખને શનિવારે શહેરમાં ત્રણ કેસ નોંધાયા હતા તથા ૨૨ તારીખને રવિવારે માત્ર એક જ કેસ નોંધાયો હતો. આથી શનિ-રવિમાં માત્ર ૪ કેસ નોંધાતા સંક્રમણમાં ઘટાડાની પ્રતીતિ થઈ હતી.

ઉલ્લેખનીય છે કે હાલ કુલ ૩૪ દર્દી હોમ આઈસોલેટ છે જયારે માત્ર એક જ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ વર્ષે અત્યાર સુધીમાં કુલ ૧૫૩ કોવિડ કેસ નોંધાઈ ચૂકયા છે જે પૈકી કોઈપણ દર્દીનું મૃત્યુ થયું નથી. અને તમામ દર્દીઓ સારવાર પછી સ્વાસ્થતા પ્રાપ્ત કરી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh