Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર
જામનગર તા. ૨૩: ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા વિમાન દુર્ઘટના અવસાન પામેલ દિવંગતો તેમજ ભાજપ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા ગુજરાત રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાઈ હતી.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી તથા સૌ હતભાગી દિવંગતોને જામનગર મહાનગર ભાજપ પરિવાર દ્વારા આયોજિત પ્રાર્થના સભામાં ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભાજપ શહેર સંગઠન, સેલ - મોરચાના હોદ્દેદારો, કોર્પોરેટર, વોર્ડ સમિતિ, સહીત શહેરના અગ્રણીઓ, ઉદ્યોગકારો, સામાજિક સંસ્થાના હોદેદારો, એસોસિએશનોના પદાધિકારીઓએ પ્રાર્થના સભામાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલ દિવંગતો તેમજ ભાજપ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા ગુજરાત રાજ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રાર્થના સભામાં શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બાંમભણીયા, પૂર્વ અધ્યક્ષઓ, પૂર્વ ધારાસભ્યો સહીત ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થાના હોદ્દેદારો, ભાજપ જામનગર મહાનગર પરિવાર સહીત ઉપસ્થિત રહી અમદાવાદની હદયદ્રાવક વિમાન દુર્ઘટનાના સૌ હતભાગી દિવંગતો તેમજ ભાજપ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા ગુજરાત રાજ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial