Advertisement
Author: નોબત સમાચાર

સંદેશ મિલા રણજીત સાગર સે, આશીર્વાદ આયા હૈ અંબર સે

જામનગર પર કુદરતે વરસાવી ભીની ભીની મહેરઃ રણજીત સાગર છલકાયો

                                                                                                                                                                                                      

જામનગરની જીવાદોરી ગણાતા રણજીતસાગર ડેમમાં છલકાતા નીરનો નઝારો નિહાળવો દરેક નગરજનની ઈચ્છા હોય છે કારણ કે આ નઝારો શહેરની આખા વરસની તરસ બુઝાવવાની નિશ્ચિતતાનો પુરાવો હોય છે. દર વર્ષે ચોમાસાના મધ્યમાં કે અંતિમ તબકકામાં રણજીત સાગર છલકાતો હોય છે પરંતુ આ વર્ષે તો ચોમાસાની પા પા પગલી થઈ રહી છે ત્યાં જ ડેમ છલકાઈ જતાં આનંદની લહેર વ્યાપી ગઈ છે.  ગત મોડી રાત્રે જ રણજીતસાગર ધીમી ધારે ઓવર ફલો થયા પછી આજે સવારે ખળખળ વહેતા નીરથી ડેમનો આહ્લાદક નઝારો જોવા મળ્યો હતો. અષાઢી બીજને હાલારી તથા કચ્છી નવ વર્ષ તરીકે ઉજવાય છે ત્યારે આ વર્ષે અષાઢી બીજ પહેલા જ રણજીત સાગર ડેમ છલકાવી કુદરતે જાણે શહેરને હાલારી નવા વર્ષની એડવાન્સ ગીફટ આપી હોય પ્રતીતિ થઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh