Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા
જામનગર તા. ૨૩: રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા આ વર્ષે પણ સભાસદોના સંતાનોને શૈક્ષણિક પુરસ્કાર અને સ્કોલરશીપ આપવામાં આવશે અને તે માટેના ફોર્મનું વિતરણ કાર્ય શરૂ થયું છે.
બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે જણાવ્યું હતું કે માર્ચ ૨૦૨૫માં લેવાયેલી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષામાં બેંકના સભાસદોના સંતાનો કે સભાસદ, જેઓએ એ-૧ અને એ-૨ ગ્રેડ મેળવેલા છે તેઓને શૈક્ષણિક પુરસ્કાર આપવામાં આવશે. આવી જ રીતે માર્ચ ૨૦૨૫માં લેવાયેલી ધો. ૧૨ ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા હોય, તેવા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ (આર્થિક સહાય) યોજનાનો લાભ પણ મેળવી શકશે. તેમાં જનરલ કેટેગરીમાં એ-૧ અને એ-૨ ગ્રેડ મેળવેલ વિદ્યાર્થીઓ અને આર્થિક રીતે પછાતની કેટેગરીમાં બી-૧ અને બી-૨ ગ્રેડ મેળવેલા વિદ્યાર્થીઓ પણ માન્ય ગણાશે. આર્થિક રીતે પછાતની કેટેગરીમાં સરકાર માન્ય અધિકારીના આર્થિક રીતે પછાત હોવાના દાખલાની ઝેરોક્ષ જોડવાની રહેશે. આ યોજનાનો સભાસદ પરિવારજનો મહત્તમ લાભ મેળવે તેવી હાર્દિક અપીલ છે.
સમગ્ર પ્રોજેક્ટ માટે બેંકના પ્રોજેકટ ચેરમેન સી.એ. ભૌમિકભાઈ શાહ અને પ્રોજેક્ટ ડિરેક્ટર નવિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કામગીરી થઈ રહી છે.
વિસ્તૃત માહિતી જણાવીએ તો આ માટેના નિયત ફોર્મનું વિતરણ શરૂ થયું છે. ફોર્મ રાજકોટ શહેરની અને બહારગામની તમામ શાખાઓથી મળે છે. ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરી પરત આપવાની અંતિમ તા. ૧૯ જુલાઈ ૨૦૨૫ને શનિવાર છે. ફોર્મ માટેનો સમય સોમવારથી શનિવાર (બીજો, ચોથો શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસો સીવાય) સવારના ૧૧ થી ૪નો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial