Advertisement
Author: નોબત સમાચાર

જીઈબીના નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવા માંગણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જી.ઈ.બી. ના નિવૃત્ત કર્મચારીઓને દર મહિને રૂ. ૮૦૦ થી રૂ. ૨૫૦૦ સુધીનું પેન્શન આપવામાં આવે છે. હાલ મોંઘવારીના આ કપરા સમયમાં નિવૃત્ત કર્મચારીઓને મળતું આ મામૂલી પેન્શન જીવન નિર્વાહ માટે પૂરતું નથી. આ સંદર્ભે વડાપ્રધાન, કેન્દ્રીય શ્રમ અને રોજગાર વિભાગ, નાણામંત્રી,, સંસદસભ્ય, ધારાસભ્યો તેમજ વિદ્યુત નિવૃત્ત કર્મચારી સંગઠનોએ તેમની જીયુવીએનએલની હેડ ઓફિસે પણ રજુઆત કરી છે. આમ છતાં પ્રશ્નનું નિરાકરણ થયું નથી. આથી જી.ઈ.બી. ના નિવૃત્ત કર્મચારીઓને પેન્શન પેટે દર મહિને રૂ. ૭૫૦૦ ઉપરાંત મોંઘવારી તેમજ પતિ-પત્નીને આરોગ્ય સારવાર આપવા સંદર્ભે જી.ઈ.બી. રીટાયર્ડ એમ્પ્લોઈઝ ઓસોસિએશન-જામનગર અને રાજકોટ દ્વારા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh