Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે રેંકડીધારક સામે પણ નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૨૩: જામનગરમાં જી.જી. હોસ્પિટલ સામે ગઈરાત્રે પોલીસે પેટ્રોલિંગ હાથ ધરી બે દુકાનદાર તથા બે રેંકડીધારક સામે ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે સામાન રાખવા બાબતે કાયદાકીય કાર્યવાહી કરી છે.
જામનગરના પંડિત નહેરૂ માર્ગ પર આવેલી જી.જી. હોસ્પિટલ પાસે ગઈરાત્રે પોલીસે હાથ ધરેલા પેટ્રોલિંગમાં ચાર વેપારી પોતાની દુકાનની ચીજવસ્તુઓ રોડ પર રાખી ટ્રાફિકમાં અડચણ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું.
ત્યાં આવેલી બજરંગ અલ્પાહાર નામની દુકાનવાળા ચેતનભાઈ મંગલદાસ પોપટ તેમજ જગદીશ જ્યુસવાળા હરેશભાઈ તીરથદાસ નથવાણી નામના બે વેપારીએ પોતાનો સામાન ટ્રાફિકને અડચણ થાય તે રીતે રાખ્યો હતો. જ્યારે સાગર પ્રવીણભાઈ પોપટ તેમજ વિજય જયંતીભાઈ પિત્રોડા નામના આસામીએ રામ મઢુલી અલ્પાહાર નામની પોતાની રેંકડી ટ્રાફિકને તેમજ રાહદારીઓને ચાલવામાં અડચણ થાય તે રીતે રાખી હોવાથી બંને સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે. ચારેય વેપારીને નોટીસ આપી મુક્ત કરવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial