Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાવમાં જ બેભાન બની ગયા પછી મોતને શરણઃ
જામનગર તા. ૨૩: કાલાવડના ચારણ પીપણીયા ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા પરપ્રાંતીય શ્રમિકની દસ વર્ષની પુત્રીને તાવ આવી ગયા પછી શનિવારે તબીયત લથડી હતી. આ તરૂણીનું મૃત્યુ નિપજ્યું છે.
કાલાવડ તાલુકાના ચારણ પીપળીયા ગામમાં આવેલા મનસુખભાઈ છગનભાઈ વેકરીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની વેરર્સિંગ મૂંગરીયાભાઈ તમર નામના શ્રમિકની ૧૦ વર્ષની પુત્રી શર્મિલાબેનને પાંચેક દિવસથી તાવ આવતો હતો. તે દરમિયાન શનિવારે રાત્રે આ તરૂણીને અત્યંત તાવ ચઢી જતા આ બાળકી બેભાન બની ગઈ હતી. તેણીને સારવાર માટે કાલાવડના સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. જયાં ફરજ પરના તબીબે ચકાસ્યા પછી મૃત્યુ પામેલી જાહેર કરતા પિતા વેરસિંગે પોલીસને જાણ કર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial