Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસોસીએટસ પ્રોફેસરની પ્રિન્સિપાલ સુધીની પ્રેરક સફરઃ
જામનગર તા. ૨૩: શ્રી કનૈયાલાલ મુનશી દ્વારા સ્થાપિત જામનગરની પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થા ભવન્સ શ્રી એચ.જે.દોશી કોલેજના એસોસિએટસ પ્રોફેસર ડો.તૌસિફ ખાન પઠાણની કોલેજના પ્રિન્સિપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે, ડો.તૌસિફ ખાન પઠાણ છેલ્લા ૧૫ વર્ષથી આ જ કોલેજમાં એસોસિએટસ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા હતા અને હવે આ જ કોલેજમાં પ્રિન્સિપાલ બની યુવાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે
ડો. તૌસિફખાને જામનગરની વી.એમ. મહેતા કોલેજમાંથી સ્નાતક થયા બાદ રાજકોટની કુંડલીયા કોલેજમાંથી સ્પોર્ટ્સની બેચલર અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ માં માસ્ટર્સ ડીગ્રી હાંસિલ કર્યા બાદ તેઓએ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ માં થી પીએચ.ડી. પૂરું કરી ડોક્ટરેટની ડીગ્રી મેળવી હતી ડો. તૌસિફખાને આ કોલેજમાં વિવિધ રમત ગમત ક્ષેત્રે તાલીમ આપી ૪૦ જેટલા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડયા છે, પોતે પણ એક સારા એથ્લેટીક્સ ના પ્લેયર છે અને તેમણે છ વખત રાષ્ટ્રીય કક્ષાએ રમી આવ્યા છે અને ડો. તૌસિફખાન અભ્યાસની સાથે વિદ્યાર્થીઓની વ્યક્તિગત મુંઝવણ તેમજ ઉચ્ચ અભ્યાસ માટે પણ જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial