Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટે કાલાવડ યુનિટની લીધી મુલકાતઃ ચૂંટણી ફરજો સમજાવી

અકાળે અવસાન પામનાર કેડેટના પરિવારને રૂ. ૪૧,૪૦૦નો ચેક અર્પણ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ જી.એલ. સરવૈયાએ ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત કાલાવડ યુનિટની મુલાકાત લીધી હતી અને હોમગાર્ડના સભ્યોને ચૂંટણીની આદર્શ આચારસંહિતા બાબતે અને પોતાની ફરજ બાબતે માર્ગદર્શન આપ્યુ હતું.

આ તકે યુનિટની વર્ષોની પરંપરા મુજબ અકાળે અવસાન પામનાર હોમગાર્ડઝ સભ્ય યોગેશ આર. રાઠોડના વારસદારને સ્વેચ્છાએ ભેગી કરેલ રકમ  રૂપિયા ૪૧,૪૦૦/-ની સહાય નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ યુનિટ કચેરીની મુલાકાત દરમિયાન વિઝિટ બુકમાં યુનિટના અધિકારીઓ, હોમગાર્ડઝ સભ્યોની કામગીરીની નોંધ કરી તેને બિરદાવી.! આ કાર્યક્રમમાં કાલાવડ યુનિટના કમાન્ડીગ ઓફિસર  રામભાઈ મેવાડા., એસ.પી. જાડેજા (પીએસ-ક્લાર્ક) તેમજ બી.કે. બાબરીયા (પીએસ) આઈ.પી.જાડેજા (પીએસ) તેમજ નિવૃત્ત કર્મચારી અનિલભાઈ વ્યાસ અને હોમગાર્ડઝ જવાનો હાજર રહયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh