Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રમતા રમતા ખાડામાં પડ્યા પછી ઉંડાણમાં થઈ ગયા ગરકાવઃ અરેરાટીઃ
જામનગર તા. ૨૩: ધ્રોલ તાલુકાના માણેકપર ગામમાં એક ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના શ્રમિક પરિવારના આઠ વર્ષના પુત્ર તથા દસ વર્ષની પુત્રી શનિવારે સાંજે રમતા રમતા ખાડામાં પડી ગયા પછી તેના ઉંડાણમાં ડૂબી જવાથી મોતને શરણ થયા છે. પોલીસે પિતાનું નિવેદન નોંધી તપાસ આરંભી છે.
ધ્રોલ તાલુકાના માણેકપર ગામની સીમમાં આવેલા ગોરધનભાઈ ભાણજીભાઈ લીંબાસીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નવાનગર ગામના વતની અનિલભાઈ સુનાભાઈ ભુરીયા નામના આદિવાસી શ્રમિક સાથે તેમના પત્ની અને બે બાળકો પણ માણેકપર આવી ત્યાં જ વસવાટ કરતા હતા.
તે દરમિયાન આ શ્રમિક પરિવારના આઠ વર્ષના પુત્ર અવિનાશ અનિલભાઈ ભુરીયા તથા તેની દસ વર્ષની બહેન અનિતાબેન અનિલભાઈ ભુરીયા શનિવારે સાંજે ખેતર પાસે આવેલા પાણીના ખાડા પાસે રમતા હતા. આ ખાડા પાસે જ કેટલીક શ્રમિક મહિલાઓ કપડા પણ ધોતી હતી. તે દરમિયાન રમતા રમતા અનિતા તથા અવિનાશ કોઈ રીતે પાણીના ખાડામાં પડી જતા મહિલાઓએ બૂમો પાડી હતી.
તેના પગલે એકત્ર થઈ ગયેલા લોકોએ ભાઈ-બહેનને બહાર કાઢવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. આ ખાડામાં ભરેલા પાણીના ઊંડાણમાં ગરકાવ થઈ જવાથી વધુ પડતું પાણી પી ગયેલા અનિતા તથા અવિનાશને બહાર કાઢી સારવાર માટે ધ્રોલ દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર તબીબોએ આ બંને બાળકોને મૃત્યુ પામેલા જાહેર કરતા ધ્રોલ પોલીસને જાણ કરવામાં આવી છે. પિતા અનિલભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial