Advertisement
Author: નોબત સમાચાર

મોટી ખાવડીમાં રિલાયન્સ દ્વારા પાણીની ટાંકી

નવી ટાંકીની જળસંગ્રહ ક્ષમતા એક લાખ લીટરઃ

જામનગર તા. ૨ઃ જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા પાણીની ટાંકી બનાવીને ગ્રામજનોના ઉપયોગ માટે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા કોર્પોરેટર સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.) ના ભાગરૃપે ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં આ ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું.

પાણી એ જીવન માટે આવશ્યક છે, જે કોઈપણ ગામ અથવા સમુદાયની જીવનરેખા છે. રિલાયન્સે લગભગ બે દાયકા પહેલા મોટી ખાવડીમાં પાણીની ટાંકી બનાવી હતી. આ સમયગાળામાં ગામની વસતિમાં વધારો થવાને કારણે પાણીની માંગ પણ વધી રહી હતી. તેને ધ્યાનમાં રાખીને અને ગામની વિનંતીના આધારે રિલાયન્સે મોટી ખાવડીમાં પાણીની ટાંકીનું પુનઃનિર્માણ કરવાનું નક્કી કર્યું હતું.

ગામના છેવાડાના ખૂણા સુધી પહોંચે તે માટે પાણીની ટાંકીની ઊંચાઈ વધારીને ૧પ મીટર કરવામાં આવી હતી, તેમજ પાણીની ટાંકીની સંગ્રહક્ષમતા પ૦,૦૦૦ લીટરથી વધારીને ૧,૦૦,૦૦૦ લીટર કરવામાં આવી હતી. તાજેતરમાં ગ્રામ પંચાયતના આગેવાનોના હસ્તે ગ્રામ્ય સમુદાયના કલ્યાણ માટે આ નવી પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh