Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ અધિકારીઓ દ્વારા સિઝનને ધ્યાનમાં રાખીને ૧૬ સ્થળેથી ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા હતાં, જ્યારે અગાઉ લેવામાં આવેલા ત્રણ નમૂનાઓ નાપાસ થયા હોવાથી નિયમ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે.
જામનગર મહાનગર પાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચનાથી શિયાળાની સિઝનને અનુસરીને ફૂડ શાખાની ટીમ દ્વારા ગ્રેઈન માર્કેટ, હિરજી મિસ્ત્રી રોડ, પટેલ કોલોની, રણજીતનગર, રણજીતસાગર રોડ, ઈન્દિરા માર્ગ, હવાઈચોક, જુના રેલવે સ્ટેશન રોડ, ખંભાળિયા નાકા બહાર વગેરે વિસ્તારોમાંથી પાંચ અડદિયા, ત્રણ દૂધ, બે સાની, બે બીની ચિક્કી એક ગોળ તલની ચિક્કી, એક ખજૂર, એક સ્પે. ચીક્કીના મળી કુલ ૧૬ જેટલા ખાદ્ય ચીજોના નમૂના લેવામાં આવ્યા હતાં અને તેના પરીક્ષણ માટે વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં. તેમજ ભેરૃનાથ આઈસ્ક્રીમ (ત્રણ દરવાજા), હિન્દુસ્તાન ડેરી (કાલાવડ રોડ) અને અશોક બેકરી (લીમડાલાઈન) માંથી લેવાયેલ નમૂના નાપાસ થયા હોવાથી ડેજીગ્નેટેડ ઓફિસરની મંજુરી મળ્યા પછી કલેક્ટર કચેરીમાં એજ્યુડીકેટીંગ સમક્ષ ત્રણ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag