Advertisement
Author: નોબત સમાચાર

શહેરની ભાગોળે સોસાયટીમાં ત્રણ મકાનમાં રાત્રે તસ્કર ત્રાટક્યા

બાજુમાં જ આવેલી અન્ય એક સોસાયટીમાં પણ મકાનમાં હાથફેરોઃ

જામનગર તા. રઃ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી જ્યોત જયોતિ પાર્ક સોસાયટી-૨માં આવેલા રહેણાંક પૈકીના ત્રણ મકાનમાં ગઈરાત્રે હાથફેરો થયો છે. બે મકાનમાં આસામીઓ ઉપરના ભાગમાં સૂતા હતા ત્યારે મકાનમાં નીચેના ભાગમાં ચોરી થઈ હતી અને એક બંધ મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું. આ વિસ્તારમાં એક મહિનામાં ચોરીનો બીજો બનાવ બન્યો છે. અગાઉ એક દુકાનમાં પણ ચોરી થઈ હતી. ગઈરાત્રે ત્રણ શખ્સ હથિયારો સાથે ચોરી માટે આવ્યા હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. તે સ્થળોએથી કેટલી મત્તા ગઈ ? તેની તપાસ કરવામાં આવી રહી છે. ઉપરાંત બાજુમાં જ આવેલા જશોદા પાર્કમાં પણ ચોરી થયાનું જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ બંને વિસ્તારો જે પોલીસ મથકમાં આવે છે તે મથકના ફોજદાર આ વિસ્તારમાં જ રહે છે.

જામનગરના ભાગોળે આવેલી બે સોસાયટીમાં ગઈરાત્રે ચારેક મકાનમાં તસ્કર ત્રાટક્યા છે. જેની સવારે જાણ થતાં પોલીસને વાકેફ કરાઈ છે. દોડી ગયેલી પોલીસે ત્યાંથી કેટલી મત્તા ચોરાઈ વગેરે બાબતની તપાસ શરૃ કરી છે. એક સાથે ચાર મકાનમાં ખાતર પડતાં ત્યાના રહેવાસીઓમાં ભય પ્રસર્યાે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh