Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યપાલ દ્વારા પ્રસિદ્ધ વટહુકમ મુજબ
જામનગર તા. રઃ ગુજરાતના રાજ્યપાલ દ્વારા અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનો વટહુકમ ૩/ર૦રર તથા તા. ૧૭-૧૦-ર૦રર થી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
આ વટહુકમ જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર પણ ઉપલબ્ધ છે. જે અન્વયે અરજી કરવાની છેલ્લા તા. ૧૬-ર-ર૦ર૩ છે તથા અરજી પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઈ નગર પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહે છે.
જામનગર મહાનગર પાલિકાની હદ વિસ્તારમાં આસામીઓ દ્વારા જો કોઈ અનધિકૃત બાંધકામ કરવામાં આવેલ હોય તેમજ શહેરમાં સ્કૂલ, બિલ્ડીંગ, હોસ્પિટલ, હાઈરાઈઝ/લો-રાઈઝ રહેણાંક, બિનરહેણાંક વગેરે પ્રકારના બાંધકામ જે વિકાસ પરવાનગીથી વિરૃદ્ધ કે વિકાસ પરવાનગી મેળવ્યા વગર તથા વપરાશ મેળવ્યા વગરના આવા બાંધકામ વટહુકમમાં પ્રસિદ્ધ થયેલ નિયમને આધિન જળવાતું હોય તો તાત્કાલિક ઈ નગર પોર્ટલ સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. સમય મર્યાદામાં અરજી નહીં થયેથી આવા બાંધકામ અનઅધિકૃત ગણીને ઘોરણસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવા મહાનગરપાલિકાના નાયબ કમિશનરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag