Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.ર: કાલાવડના ખરેડી ગામમાં એક તરૃણીને કપડા સૂકવતી વખતે બાજુમાંથી પસાર થતાં ઈલેકટ્રીક વાયરમાંથી વીજ આંચકો લાગ્યા પછી તેણીનું મૃત્યુ નિપજ્યું છે.
કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં આવેલા જયંતીભાઈ ધનજીભાઈ ગીણોયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બોજાદ ગામના સંદીપભાઈ કહરૃભાઈ કંટારીયા નામના આદિવાસી યુવાનની તેર વર્ષની પુત્રી આશાબેન શનિવારે બપોરે ખેતરમાં જ બનાવવામાં આવેલા તેમના રહેણાંકમાં કપડાં સૂકવી રહ્યા હતા.
ત્યારે બાજુમાંથી પસાર થતા ઈલેક્ટ્રીકના વાયરને તેણીનો હાથ અડકી જતા આ તરૃણીને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. બેશુદ્ધ બની ગયેલી આ તરૃણીને સારવાર માટે કાલાવડ દવાખાને ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે પિતા સંદીપભાઈનું નિવેદન નોંધી મૃતદેહનો કબજો સંભાળ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag