Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હૈદ્રાબાદ તા. રઃ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રાબાબુની રેલીમાં ફરી નાસભાગ થતાં ૩ ના મોત થયા છે અને અનેક ઈજાગ્રસ્ત થયા છે.
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની રેલીમાં રવિવારે ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને ઘણાં લોકો ઘાયલ થયા છે. ગુંટુર જિલ્લાના એસપી આરફ હાફિઝે જણાવ્યું કે, ટીડીપીની આ રેલીમાં પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુએ પણ ભાગ લીધો હતો.
રેલીમાં અચાનક નાસભાગ મચી ગઈ અને ત્રણ લોકોના મોત થયા. ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં એન ચંદ્રાબાબુ નાયડુની જાહેર સભા દરમિયાન નેલ્લોરમાં નાસભાગમાં ૮ લોકોના મોત થયા હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ ચંદ્રબાબુ નાયડુની રેલી ગુંટુરના વિકાસ નગર પહોંચી હતી. અહીં સંક્રાંતિ ભેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આ ભાગાદોડ મચી ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.
https://www.facebook.com/nobatdaily/
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag