Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ નાગરિકોના પ્રશ્નો સત્વરે ઉકેલવા સંબંધિત વિભાગોને કરી તાકીદ

સરકીટ હાઉસમાં લોકસંપર્ક દરમિયાન

જામનગર તા. રઃ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટલે સર્કીટ હાઉસમાં લોકસંપર્ક યોજી નાગરિકોના પ્રશ્નો સાંભળ્યા હતાં અને સ્થળ પર જ ટેલિફોનિક તેમજ લેખિત કાર્યવાહી કરી લોક પ્રશ્નોના નિરાકરણનું માધ્યમ બન્યા હતાં.

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કીટ હાઉસમાં લોકસંપર્ક યોજી નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી હતી. તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો ધ્યાને લઈ સત્વરે તે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કૃષિમંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રમ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી, જે શાંતિથી સાંભળીને સંબંધિત વિભાગોને ટેલિફોનિક અને લેખિત સૂચનાઓ આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh