Advertisement
Author: નોબત સમાચાર

જામનગર ભાજપના મહિલા મોરચા દ્વારા બાળકો સાથે શાંતિ મંત્ર જાપ કરાયા

વડાપ્રધાનના માતાને શ્રદ્ધાંજલિઃ

જામનગર તા. ૨ઃ ભારતના વડાપ્રધાનના માતુશ્રીના અવસાનના અનુસંધાને જામનગરમાં ભાજપના મહિલા મોરચા દ્વારા ગરીબ બાળકો સાથે શાંતિ મંત્રના જાપનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવારે નિધન થયું હતું. આથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જામનગરમાં ભાજપના મહિલા મોરચા દ્વારા દિગ્જામ સર્કલ પાસેના ગણપતનગરમાં ગરીબ બાળકો સાથે શાંતિ મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ગરીબ બાળકો સાથે ભાજપના મહિલાઓએ શાંતિ મંત્રના જાપ કર્યા હતાં. આ પછી બાળકોને નાસ્તો કરાવી હીરાબાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh