Advertisement
Author: નોબત સમાચાર

કેરી ખાઈને ગોટલી ફેંકી દેવાના બદલે નિયત સ્થળે જમા કરાવોઃ વેસ્ટમાંથી બેસ્ટ

"ડોનેટ ગોટલી" પ્રોજેકટ હેઠળ રોજગારીની તકોઃ નવતર અભિગમ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૧: કેરીની સિઝન ગુજરાતમાં ચાલી રહી છે પણ આપણામાંથી કેટલા કેરી ખાધા પછી કેરીની ગોટલીમાંથી મુખવાસ બનાવે છે ? એમ કહી શકાય કે મોટા ભાગના ગોટલી ફેંકી દે છે.

૧૦ મે ના ગુજરાત સમાચારની પૂર્તિમાં ડોનેટ ગોટલી એવા હેડિંગથી કોલકાતાના જસ્મિત સિંહ અરોરા વિશે આર્ટિકલ હતો જેમાં જસ્મિત સિંહ બધાને અપીલ કરી અને બધી જગ્યાએથી આ ગોટલી ભેગી કરી, ગરીબ ખેડૂતોને આ ગોટલી વાવવા માટે આપે છે અને એમાંથી એ લોકો આંબાના વૃક્ષ પણ ઉગાડે છે અને એમની આજીવિકા પણ રળે.

આ પ્રોજેકટની પરિકલ્પના કરનાર ડોકટર કલ્પનાબેન ખંઢેરીયાએ તેમની સાથે વાત કરી અને કેવી રીતે ગોટલી તૈયાર કરવી તે બધી વિસ્તૃત માહિતી મેળવી સેટેલાઈટ કલબ ઓફ કશાડો, રોટરી કલબ ઓફ સેનોરાઝના પ્રમુખ ડો. મીતાબેન શાહ તથા રોટરી કલબ ઈમેજીકાના પ્રમુખ હરદીપભાઈ જાડેજા બંને અત્યારે કેરીની સિઝનમાં ગોટલીનો સારો ઉપયોગ કરવાની પર્યાવરણની વૃદ્ધિ થાય તેવા પ્રોજેકટ કરવાનું નક્કી કર્યું. પ્રોજેકટ ડિરેકટર નિશાબેન ઐયર, અમરજીતસિંહ અહલુવાલીયા, બોસ્કીબેન વ્યાસ તથા પાર્થભાઈ મહેતાએ ચેલેન્જ ઉપાડી અને જ્યાં જ્યાં હોલસેલમાં કેરીની ગોટલીનો રસ નીકળે છે તથા દરેક વ્યક્તિને ઘરે ઘરે જ્યાં કેરીનો રસ નીકળે છે ત્યાં અપીલ કરી છે કે તમારી કેરીની ગોટલી ફેંકી ન દેતા અને બ્રશથી સાફ કરીને નીચેના સરનામે પહોંચાડો આ ગોટલી સાફ કર્યા પછી તેને ત્રણ દિવસ સુકવવી પડે છે અને પછી તેને કાગળની કોથળીમાં પેક કરી અને કોલકાતા મોકલવાની છે જ્યાંથી જસ્મિનસિંહ અરોરા ખેડૂતોને વિતરણ કરશે. દરેક મહિલાને તથા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે હાપા વિસ્તારમાં ઈસ્કોન મંદિરમાં, ખોડીયાર કોલોનીમાં આવેલ ખોડીયાર મંદિર, ગાંધીનગર વિસ્તારમાં આવેલ સાઈબાબા મંદિર તથા ગ્રીન સિટી તરફ આવેલ શ્રીજી લેબોરેટરીમાં આપ આ કેરીની ગોટલી બ્રશથી, પાણીથી સાફ કરી અને ઉપર જણાવેલી જગ્યાએ આપી, વેસ્ટમાંથી બેસ્ટ તથા પર્યાવરણ પ્રોત્સાહન આપી રોજગારીનુું સર્જન કરતા આ વિચારને સમર્થન આપશો. જ્યાં હોલસેલ આવી રીતે કેરીનો ઉપયોગ થતો હોય તે અમરજિતસિંહ અહલુવાલીયા મો. ૯૩૨૭૧ ૬૧૪૯૦ તથા પાર્થ મહેતા મો. ૯૪૨૬૧ ૨૪૧૨૨ નો સંપર્ક કરશે તો ત્યાંથી અમે ગોટલી કલેકટ કરાવી લેશું. આ પ્રોજેકટમાં અમને વંડાફળીમાં આવેલ જે.જે. ફરસાણ માર્ટ, ૫૪-દિ.પ્લોટમાં આવેલ કમલેશ ડેરી, ૫૮-દિ.પ્લોટમાં આવેલ ઓધવરામજીનો સહકાર મળેલ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh