Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી કંપનીમાં કામ કરતા પડી ગયેલા શ્રમિક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ

મૃતકના પિતાનું પોલીસે નિવેદન નોંધ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ખાનગી કંપનીના પ્લાન્ટમાં ગયા ગુરૂવારે કામ કરી રહેલા એક યુવાન કોઈ રીતે પડી ગયા પછી ઈજા પામ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના પિતાનું નિવેદન નોંધ્યું છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં વસવાટ કરતા રામજીભાઈ કાનજીભાઈ પરમાર નામના સતવારા યુવાન જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા પડાણા ગામની સીમમાં ખાનગી કંપનીના એસ.ઈ. ઝેડ સલ્ફર પ્લાન્ટમાં કામ પર હતા. ત્યારે ગયા ગુરૂવારે બપોરે એકાદ વાગ્યે બેઠા બેઠા કામ કરી રહેલા રામજીભાઈ કોઈ કારણથી પડી ગયા હતા.

આ યુવાનને સારવાર માટે મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન રવિવારે મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા કાનજીભાઈ માધવજીભાઈ પરમારે પોલીસને જાણ કરી છે. મેઘપર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh