Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વ્યાજ સાથે વળતર ચૂકવવું પડશેઃ
જામનગર તા. ૮: જામનગરના એક આસામીએ મેળવેલી મેડિક્લેઈમ પોલિસી અંતર્ગત વળતર ચૂકવવાનો ઈન્કાર કરાતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે તે વળતર વ્યાજ સાથે ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે.
જામનગરના દીપભાઈ દિલીપભાઈ ખગ્રામે કેર હેલ્થ કંપની પાસેથી મેડિક્લેઈમ મેળવ્યા પછી તેમના પિતા દિલીપભાઈને અમદાવાદ સારવાર અપાવવી પડી હતી. જેમાં રૂ.ર,૭૮,૭૩૫નો ખર્ચ થયો હતો. તે ક્લેઈમ ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કર્યાે હતો.
વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફોરમે તે રકમ છ ટકા વ્યાજ સાથે સમય મર્યાદામાં ચૂકવી આપવા અને ફરિયાદ ખર્ચના રૂ.રપ૦૦ અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial