Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રાફિક સમસ્યાનું થશે નિરાકરણઃ
જામનગર તા. ૮: જામનગરમાં ગોકુલનગરમાં ૩૦ મીટરના ડી.પી. રોડની અમલવારી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થવાથી ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે. જામનગરમાં ગોકુલનગરમાં આશાપુરા હોટલથી બાયપાસને જોડતા જુના રોડને ૩૦ મીટર પહોળો કરવા માટે ડી.પી. કપાતની અમલવારી શરૂ કરવામાં આવી છે.
આ કામગીરીમાં કુલ ૮૬ મિલકતોને કપાતની અસર થશે, તેમાં ૭૯ વાણિજ્ય અને સાત રહેણાંક મિલકતનો સમાવેશ થાય છે. આશરે પર હજાર ચો.ફૂટ જગ્યામાં કપાત થશે, જેની બજાર કિંમત આશરે રૂ. ૧પ કરોડની થવા જાય છે.
હાલમાં કપાત માટેની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. આ પછી જેમની પાસે જમીન-બાંધકામના જરૂરી યોગ્ય દસ્તાવેજો હશે તેમને વળતર આપવામાં આવશે. બાકીની અન્ય મિલકતો વિકાસ કાર્ય માટે તોડી નાખી રોડ પહોળો કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા પછી ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial