Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા એલસીબીના પીઆઈની એસઓજીમાં નિયુક્તિઃ બે પોલીસકર્મીની પણ કરાઈ બદલી

દ્વારકાના પોલીસતંત્રમાં બદલીનો આદેશઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૮: ખંભાળિયા સ્થિત એલસીબી કચેરીમાં ફરજ બજાવતા અધિકારીની એસઓજીમાં બદલી કરવામાં આવી છે અને ખંભાળિયાના પીઆઈની એલસીબીમાં નિયુક્તિ થઈ છે. તે ઉપરાંત અન્ય એક ફોજદારની અને બે પોલીસ કર્મચારીઓની પણ બદલીઓનો આદેશ જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્થિત એલસીબીમાં ફરજ બજાવતા પીઆઈ કે.કે. ગોહિલની ગઈકાલે જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાએ બદલી કરી છે. આ અધિકારીને એલસીબીમાંથી એસઓજીમાં મૂકવામાં આવ્યા છે.

તે ઉપરાંત હાલમાં ખંભાળિયા પોલીસ મથકના પીઆઈ બી.જે. સરવૈયાને એલસીબીમાં નિયુક્તિ આપવામાં આવી છે અને ખંભાળિયા પોલીસ મથકના પીઆઈ તરીકેનો ચાર્જ પીએસઆઈ એન.એચ. જોષીને સોંપવામાં આવ્યો છે. એસઓજીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કે.એમ. જાડેજાને રીડર શાખામાં મૂકવામાં આવ્યા છે અને એલસીબીના કર્મચારી અરજણભાઈ ચંદ્રાવડીયાને વાડીનાર પોલીસ મથકમાં અને સજુભા જાડેજાને સલાયા પોલીસ મથકમાં નિયુક્તિ આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh