Advertisement
Author: નોબત સમાચાર

ત્રણ મહિનાના પુત્રના બીમારીથી મૃત્યુના કારણે વ્યથિત માતાએ કરી આત્મહત્યા

સવા મહિના પહેલાં પુત્રની વિદાયથી વ્યથિત હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામજોધપુરના કોટડાબાવીસી ગામમાં રહેતા એક શ્રમિક દંપતીને ત્યાં ત્રણેક મહિના પહેલાં પુત્ર અવતર્યા પછી આ બાળકનું સવા મહિના પહેલાં બીમારીથી મૃત્યુ નિપજ્યું હતું. ત્યારથી સતત વ્યથા અનુભવતા માતાએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી પ્રસરી છે.

જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામમાં રહેતા હીનાબેન હરિભાઈ પરમાર નામના ૨૫  વર્ષના દેવીપુજક યુવતીના લગ્ન થોડા સમય પહેલા જ મયુર મનસુખભાઈ ડાભી સાથે કરવામાં આવ્યા પછી આ દંપતીને હિતરાજ નામના બાળકની પ્રાપ્તિ થઈ હતી.

ત્રણેક મહિનાના થયેલા આ બાળકનું સવા મહિના પહેલા બીમારી થવાના કારણે મૃત્યુ નિપજ્યું હતું. ત્યારથી માતા હીનાબેન સતત વ્યથા અનુભવતા રહેતા હતા. પોતાના લાગણીશીલ સ્વભાવના કારણે આ યુવતીએ શનિવારે બપોરે પોતાના રહેણાંક મકાનમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. તેણીનું શ્વાસ રૃંધાઈ જવાથી મૃત્યુ નિપજ્યું છે. આ બનાવની પિતા હરિભાઈ ઉકાભાઇ પરમારએ પોલીસને જાણ કરી છે. જામજોધપુર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh