Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બસમાં ચાલુ મુસાફરીએ યુવાનનું મૃત્યુ નિપજ્યું:
જામનગર તા. ૮: ઓખામંડળના આરંભડા ગામની સીમમાં રહેતા એક યુવાને કેન્સરની બીમારીથી કંટાળી જઈ એક મહિના પહેલાં જલદ પ્રવાહી પી લીધુ હતું. આ યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જ્યારે મધ્યપ્રદેશથી આવેલી ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા એક યુવાનનું સલાયા ચાર રસ્તા પાસે કોઈ રીતે બસમાં મૃત્યુ થયાનું કંડકટરે પોલીસને જણાવ્યંુ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા આરંભડા ગામની સીમમાં આંબેડકર સોસાયટીમાં રહેતા પેથાભાઈ ગાંગાભાઈ વેગડા (ઉ.વ.૪૫) નામના યુવાનને ત્રણેક વર્ષથી કેન્સરની બીમારી વળગી હતી. તેની સારવાર અપાવવામાં આવી રહી હતી.
પોતાની બીમારીથી કંટાળી ગયેલા પેથાભાઈએ ગઈ તા.૪ નવેમ્બરની બપોરે પોતાના ઘરમાં બાથરૂમમાં જઈ જલદ પ્રવાહી પી લીધુ હતું. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનંુ બુધવારે મૃત્યુ નિપજ્યંુ હતું. મેરામણ ભાઈ ગાંગાભાઈ વેગડાએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયાના સલાયા ચાર રસ્તા પાસે આવેલી એક બસમાં ગઈકાલે મુસાફરી કરી રહેલા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની ધર્મેન્દ્રભાઈ દલીયાભાઈ ગામડ (ઉ.વ.૩૬) નામના યુવાન મુસાફરી કરતા હતા ત્યારે તેઓનંુ કોઈ રીતે મૃત્યુ નિપજ્યાનું આ બસના કંડકટર અને મૂળ મધ્યપ્રદેશના પ્રવીણ નંદકિશોરજી દેવડાએ પોલીસમાં જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial