Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે હનુમાનજીના મંદિર અન્નકોટ સંપન્ન

દર્શન, ઝાંખી અને મહાઆરતીનો અગ્રણીઓએ અને શ્રદ્ધાળુઓએ લીધો લાભ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગરના પંચેશ્વર ટાવર સ્થિત શ્રીરામદૂત હનુમાનજીના મંદિરે શનિવારે અન્નકોટ દર્શનની ઝાંખી અને મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાયા હતાં.

જામનગરમાં પંચેશ્વર ટાવર સ્થિત શ્રી ગૌરીશંકર મહાદેવના મંદિર પાસે આવેલા શ્રી રામદૂત હનુમાનજીના મંદિરે શનિવાર તારીખ ૦૬ ના રોજ અન્નકૂટ ઉત્સવ ના દર્શન ની ઝાંખી તૈયાર કરાઇ હતી, તેમજ મંદિરે ધ્વજારોહણ અને ૧૦૮ દીવડાની મહા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક ધર્મપ્રેમીઓ જોડાયા હતા.

શહેરના પંચેશ્વર ટાવર પાસેના શ્રી રામદૂત હનુમાનજી મંદિરમાં માગસર મહિનાના ત્રીજા શનિવારે યોજાતા અન્નકૂટ મહોત્સવ અને મહાઆરતીના ધાર્મિક કાર્યક્રમોનું આ વર્ષે પણ તા. ૦૬.૧૨.૨૦૨૫, શનિવાર શૌર્ય દિવસે કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત  મંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ સવારે ૦૯.૦૦ વાગ્યે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાંજના ૦૪.૩૦ વાગ્યાથી રાત્રિના ૧૧.૩૦ સુધી અન્નકૂટના દર્શન, અને રાત્રે ૦૮.૦૦ વાગ્યે ૧૦૮ દીવાની મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

આ તમામ ઉત્સવમાં નગરના અગ્રણીઓ જામનગર શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા,  મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા ઉપસ્થિત રહૃાા હતા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, જ્યારે જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ કે જેઓ  લોકસભાનું સત્ર ચાલુ હોવાથી દિલ્હીમાં હોવાના કારણે તેઓનો શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયો હતો.

આ ઉપરાંત સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઇ ભટ્ટ અને તેઓની સમગ્ર ટીમ, જામનગરના એડવોકેટ હેમલભાઈ ચોટાઈ,  વોર્ડ નંબર નંબર ચારના ભાજપના કોર્પોરેટર કેશુભાઈ માડમ, ભાજપના વોર્ડ નંબર ત્રણના પ્રમુખ નરેનભાઈ ગઢવી, ઓમ ટ્રેનીંગ સેન્ટરના ડિમ્પલબેન મહેતા, મહાદેવ ગ્રુપના મિતેશભાઇ મહેતા, ડો. કેયુરભાઈ બક્ષી, એડવોકેટ રાજેશભાઈ વશિયર, લઘુમતી મોરચાના અલુભાઈ પટેલ, જામ વિજય ફરસાણ માર્ટ વાળા હરીશભાઈ જોશી, લોહાણા અગ્રણી કિશોરભાઈ રાજાણી સહિતના ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહૃાા હતા, અને મહા આરતીનો લાભ લીધો હતો.

 મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ વ્યાસ (મહાદેવ)દ્વારા ૧૦૮ દીવડાની મહા આરતી કરવામાં આવી હતી, જયારે ઓમકાળેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના શ્રી મહેશભાઈ રાવલ અને તેઓની ટીમ દ્વારા નગારાના તાલે વાદન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમો માટે મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમેં જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh