Advertisement
Author: નોબત સમાચાર

સ્વયંને આધ્યાત્મિકતા સાથે જોડીને જીવનને સરળ બનાવોઃ

ઉદયપુરમાં નિરંકારી સંત સમાગમ સમારોહઃ

જામનગર તા. ૨૧: સંત નિરંકારી મિશનના તત્વાવધાનમાં ગુજરાત અને રાજસ્થાનનો સંયુક્ત રાજ્ય સ્તરીય ચાર દિવસીય નિરંકારી સંત સમાગમ રાજસ્થાનના ઉદયપુર શહેરમાં પરમ શ્રદ્ધેય સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ અને સત્કાર યોગ્ય નિરંકારી રાજપિતા રમિતજીની પાવન છત્રછાયામાં સંપન્ન થયો,જેમાં જામનગર સહિત ગુજરાત અને રાજસ્થાનના હજારો ભક્તોએ આધ્યાત્મિક-પ્રેમ અને વિશ્વબંધુત્વનો સંદેશ પ્રાપ્ત કર્યો.

સતગુરૂ માતા સુદીક્ષાજી મહારાજે તેમના પ્રેરણાદાયક પ્રવચનોમાં પધારેલ ભાવિક ભક્તજનોને આત્મ-સાક્ષાત્કારનો માર્ગ અપનાવવાનો બોધ આપતાં કહૃાું કે જ્યારે જીવનમાં અહંકાર અને ભેદભાવ મટી જાય છે, પરમાત્માના દિવ્ય પ્રકાશથી અંતરાત્મા પ્રકાશિત થાય છે ત્યારે જીવન સહજ અને સરળ બને છે.ક્ષમા-પ્રેમ અને સેવાની ભાવના અપનાવીને જ આપણે બધા સાચા આનંદને પ્રાપ્ત કરી શકીએ છીએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh