Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.ર૧ : રાજ્યના બિનહથિયારધારી પોલીસતંત્રમાં ફરજ બજાવતા ૧૫૯ પીએસઆઈને પીઆઈ તરીકે પ્રમોશન મળવા પામ્યા છે. જેમાં જામનગરના ચાર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે ફોજદારને પીઆઈ તરીકે પ્રમોશન પ્રાપ્ત થયું છે.
ગુજરાત રાજ્યના બિન હથિયારધારી ૫ોલીસદળમાં ફરજ બજાવતા કુલ પૈકીના ૧૫૯ પોલીસ સબ ઈન્સ્પેક્ટરને તદ્દન હંગામી ધોરણે પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે બદલી આપતો આદેશ ગઈકાલે રાજ્યના મુખ્ય પોલીસવડાની કચેરી દ્વારા કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત આદેશમાં જામનગરના પોલીસતંત્રમાં ફરજ બજાવતા પીએસઆઈ આર.કે. ગોસાઈને પ્રમોશન મળવા પામ્યું છે. જ્યારે શેઠ વડાળા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીએસઆઈ પી.જી. પનારા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીએસઆઈ ટી.ડી. ચુડાસમા, જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ગયેલા પીએસઆઈ આર.એચ. બાર, દ્વારકા જિલ્લાના એમ.ડી. મકવાણા, એ.એલ. બરાસીયા, જામનગર જિલ્લાના પીએસઆઈ એ.એમ. ચારણને પ્રમોશન મળ્યું છે.
તે ઉપરાંત રાજ્યના અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગર, મહેસાણા, ડાંગ, નવસારી, પશ્ચિમ રેલવે વડોદરા તેમજ જીયુવીએનએલ પોલીસ મથકના ૧૫૩ પીએસઆઈને પ્રમોટ કરવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial