Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા તથા ખંભાળીયા નગર પાલિકાને અપગ્રેડ કરવાની જોગવાઈ

ગુજરાતના અંદાજપત્રમાં

ખંભાળીયા તા. ૨૧: ગુજરાત રાજ્યના નાણામંત્રીએ રજુ કરેલા અંદાજપત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે નગરપાલિકાના દ્વારકા તેમજ ખંભાળીયા પાલિકાને અપગ્રેડ કરવાની જોગવાઈ કરતા બંને શહેરમાં આનંદની લાગણી ફેલાઈ છે.

ખંભાળીયાની વસ્તી ૨૦૧૧ની સ્થિતિએ ૪૧ હજારની હતી જે હાલ ૮૦ હજારથી વધારે છે. તાજેતરમાં જ ખંભાળીયાની નજીકના વિસ્તારની ચાર ગ્રામ પંચાયત તથા અનેક સોસાયટીઓના વિસ્તારનો નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવા માટે હીલચાલ ચાલી રહી છે ત્યારે સી ગ્રેડમાંથી બી ગ્રેડની નગર પાલિકામાં અપગ્રેડ કરાશે.

દ્વારકાની વસ્તી ૨૦૧૧ની સ્થિતિએ ૩૮ હજારની હતી, જે હાલ ૭૫ હજારથી વધુ થઈ ગઈ છે. દ્વારકાના વિકાસ માટે વિવિધ યોજનાઓ ચાલી રહી છે ત્યારે દ્વારકા નગરપાલિકાને પણ સી ગ્રેડમાંથી બી ગ્રેડમાં અપગ્રેડ કરવામાં આવનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh