Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા ૮.૪૩ કરોડનો ખર્ચ મંજૂર થતા
ખંભાળીયા તા. ર૧: કેન્દ્ર સરકારની નલ સે જલ યોજના ખંભાળીયા શહેર માટે મંજૂર થતા રૂ. ૮.૪૩ કરોડના ખર્ચે નલ સે જલ યોજનાનું કામ ટૂંક સમયમાં શરૂ થશે. જે કામ માટેનું ટેન્ડર પણ મંજૂર થઈ ગયું છે.
પાલિકા ચીફ ઓફિસર રાહુલ કરમૂર તથા વોટર વર્કસ ઈજનેર એન.આર. નંદાણીયાએ એક મુલાકાતમાં જણાવેલ કે, નલ સે જલ યોજનામાં ખંભાળીયાના ઘી ડેમથી ઘી નદીમાં ફૂલવાડી વોટરવર્કસ સુધી નદીમાં પેરેલલ લાઈનો નાખવામાં આવશે તથા ખંભાળીયામાં સલાયા ગેઈટ, ભઠ્ઠી ચોક, પઠાણપાડો, પાંચહાટડી ચોક, રામ મંદિર વિસ્તારવાળી શેરીઓમાં નવી લાઈનો નાખવામાં આવશે. જેથી હાલ ઓછા ફોર્સથી પાણી વિતરણનો પ્રશ્ન હલ થઈ જશે.
ખંભાળીયામાં ફૂલવાડી વોટરવર્કસ એ ખૂબ જ જુનું પાલિકાનું વોટરવર્કસ છે, જે પાણીના બોર પર આધારીત હતું. હવે ઘી ડેમમાંથી સીધું પાણી મળતા પાણી પણ મીઠું મળશે. ક્ષારવાળા પાણીની સમસ્યા હલ થઈ જશે. આ યોજના શરૂ કરવા માટે કેટલાક રસ્તાઓ તુટશે, જે નવા બનાવવાની યોજનામાં જોગવાઈ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial