Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની ફાયનાન્સ પેઢીમાં ધમાલ મચાવનાર બે આરોપીના જામીન મંજૂર

લોનનું ધરાર સેટલમેન્ટ કરવાનો મામલોઃ

જામનગર તા.૨૧ : જામનગરમાં આવેલી ખાનગી ફાયનાન્સ પેઢીની ઓફિસમાં ઘૂસી રૂ.૯ લાખ ઉપરાંતની બાકી લોનનું રૂ.દોઢ લાખમાં સેટલમેન્ટ કરી આપવાનું કહી બે શખ્સે પેઢીના કર્મચારી પર હુમલો કર્યાની નોંધાયેલી ફરિયાદ અન્વયે બંને આરોપીની ધરપકડ કરાઈ હતી. આ શખ્સોને જામીન પર મુક્ત કરવાનો હુકમ કરાયો છે.

જામનગરમાં ખાનગી ફાયનાન્સ કંપનીની ઓફિસમાં થોડા દિવસ પહેલાં ઘૂસી ગયેલા દિવ્યરાજસિંહ જાડેજા તથા યુવરાજસિંહ જાડેજા નામના શખ્સોએ તેઓની બાકી રહેલી રૂ.૯ લાખ ૧૭ હજાર ઉપરાંતની લોનનું રૂ.દોઢ લાખમાં સેટલમેન્ટ કરી આપવા કહી હુમલો કરવા ઉપરાંત ઓફિસમાં ભાંગફોડ કર્યાની પણ ફાયનાન્સ ઓફિસના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ગુન્હામાં પોલીસે બંને આરોપીને પકડી પાડી ગુન્હો નોંધ્યો હતો. આ આરોપીઓએ જામીનમુક્ત થવા સેશન્સ કોર્ટમાં અરજી કરતા અદાલતે રૂ.૧ લાખના જામીન અને અન્ય શરતો પર બંને આરોપીને જામીનમુક્ત કર્યા છે. આરોપી તરફથી વકીલ નિખીલ બુદ્ધભટ્ટી, પાર્થ સામાણી, સમર્થ વેકરીયા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh