Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના વનાણામાં ખેતરમાં દવા છાંટતી વેળાએ ઝેરી અસરથી મૃત્યુ

શ્રમિક મહિલા પર પડ્યો કાળનો પંજોઃ

જામનગર તા.૨૧ : જામજોધપુરના વનાણા ગામના વાડી વિસ્તારમાં ખેતમજૂરી માટે આવીને રહેતા એક યુવાનના પત્ની દસેક દિવસ પહેલાં ઉભા પાકમાં દવાનો છંટકાવ કરતી વખતે ઝેરી અસર થઈ જતાં સારવારમાં ખસેડાયા હતા. તેઓનું મૃત્યુ નિપજયું છે.

જામજોધ૫ુર તાલુકાના વનાણા ગામમાં આવેલા વાડી વિસ્તારમાં રમેશભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા દિનેશભાઈ માંગીલાલ બધેલ નામના ભીલ શ્રમિકના પત્ની સંગીતાબેન (ઉ.વ.રપ) ગઈ તા.૯ની સવારે ખેતરમાં ઉભા પાકમાં દવાનો છંટકાવ કરી રહ્યા હતા.

આ વેળાએ કોઈ રીતે તેણીને દવાની અસર થતાં મ્હોંમાંથી ફીણ નીકળવા માંડ્યા હતા. ૧૦૮માં આ મહિલાને સારવાર માટે જામજોધપુર દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ મહિલાનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. શેઠવડાળા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ પી.જી. પનારાએ મૃતદેહને પીએમ માટે ખસેડી પતિ દિનેશભાઈનું નિવેદન નોંધ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh