Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા કલેક્ટરશ્રીને પત્ર પાઠવી રજૂઆતઃ
જામનગર તા. ર૧: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલાચડીમાં વર્ષ ર૦ર૧-રર માં થયેલ મકાનોના સર્વેનો અહેવાલ ખોટો હોય, તે અંગે કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
પોલીસના નિવૃત્ત એ.એસ.આઈ. મનજીભાઈ કાનાભાઈ મકવાણાએ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, વર્ષ ર૦ર૧-રર મા બાલાચડીમાં મકાનોનું સર્વે કરવામાં આવ્યું હતું, જે ખોટું હતું. સરકારી ખરાબાની જમીનમાં મંજુરી વગર મકાનો બનાવી તેના સર્વે પણ કરાયા હતાં. ડી.આઈ.એલ.આર. કચેરીના જુના-નવા મેપ સાથે લગાવવામાં આવ્યા ન હતાં.
સર્વેયરો નવી ભરતીના હોય, સરપંચ મહિલા હોવાથી તેના સ્થાને તેમના પતિ સંચાલન કરતા હતાં, તલાટી પણ હાજર હતાં નહીં, અનેક મકાનમાલિકો બહારગામ હતાં. આમ જે સર્વે થયું હતું તે ખોટું છે. જે અહેવાલ મહિલા સરપંચના પતિ દ્વારા જામનગર-ગાંધીનગર કચેરીને મોકલાયો હતો. આથી જવાબદાર સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial