Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો ગુન્હોઃ
જામનગર તા.૨૧ : ખંભાળિયા પોલીસ મથકમાં એક સગીરાના અપહરણના કેસમાં અદાલતે રાજકોટના શાપરમાં રહેતા શખ્સને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ભોગ બનનાર સગીરાને રૂ.૧ લાખ વળતર પેટે ચૂકવાશે.
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના વતની અને હાલમાં રાજકોટના શાપરમાં રહેતો જયદીપ કાનાભાઈ ભેડા નામનો શખ્સ એક સગીરાનું મોટરમાં અપહરણ કરીને તેણીને જામનગર લાવ્યો હતો. જ્યાં તેણે એક હોટલમાં આ સગીરા સાથે શરીરસંબંધ બાંધવાનો પ્રયાસ કર્યા પછી સગીરાને લાલપુરમાં રહેતા પોતાના મિત્રને ત્યાં મોકલી આપી હતી અને પછી લઈ જઈશ તેમ કહ્યું હતું પરંતુ પછી જયદીપ તે સગીરાને લેવા આવ્યો ન હતો.
આ શખ્સે ફોન રિસીવ કરવાનું પણ બંધ કરી દીધુ હતું. તેથી સગીરા જામનગર અને ત્યાંથી રાજકોટ પહોંચી હતી. તે દરમિયાન તેણીના પરિવારે શરૂ કરેલી શોધખોળમાં સગીરા મળી આવી હતી. તેણીએ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં જયદીપ ભેડા સામે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬, પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ ખંભાળિયાની ખાસ પોકસો અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપી જયદીપ કાનાભાઈ ભેડાને આઈપીસી ૩૬૩ના ગુન્હામાં તકસીરવાન ઠરાવી પાંચ વર્ષની સખત કેદ અને રૂ.૧૦ હજારનો દંડ, આઈપીસી ૩૬૬ના ગુન્હામાં સાત વર્ષની કેદ અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનારને રૂ.૧ લાખ કમ્પેઈન્સેશનમાંથી ચૂકવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial