Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચોરાઉ ત્રાંબા-પિત્તળના વાસણો કરાયા કબજેઃ
જામનગર તા.૨૧ : જામનગરમાં વાસણની એક દુકાનમાંથી ત્રાંબા તથા પિત્તળના વાસણ ચોરી કરી તેને વેચવા રાજકોટ પહોંચેલા બે શખ્સને રાજકોટ પોલીસે પકડી પાડ્યા છે અને ચોરાઉ વાસણ કબજે લીધા છે.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી એક આસામીની વાસણની દુકાનમાં ઘૂસી ગયેલા બે તસ્કરે ત્રાંબાના ૪૮ બેડા, પિત્તળની ૩૪ તપેલી તથા ત્રાંબાની ૧૧૦ બોટલ ચોરી કરી લીધી હતી.
આ બાબતની વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. તેના આધારે તપાસ કરાઈ રહી હતી કે દરમિયાન રાજકોટ પોલીસે નાના મવા રોડ પર બે શખ્સ વાસણ વેચવાના પ્રયત્ન કરતા હોવાની બાતમી મળતા ત્યાં ધસી જઈ રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા વિજય મુકેશભાઈ ઉર્ફે મનસુખ સોલંકી તથા જેતપુરના રાહુલ મુકેશ ઉર્ફે મનસુખ સોલંકીની અટકાયત કરી હતી.
આ શખ્સોની પૂછપરછ કરાતા આ શખ્સોએ જામનગરમાંથી ત્રાંબા તથા પિત્તળના વાસણ ચોરી કર્યાની કબૂલાત આપી છે. પોલીસે ચોરાઉ વાસણ કબજે કરી બંને આરોપીનો કબજો જામનગર પોલીસને સોંપ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial