Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હળવી કલમ લગાડ્યાનું પણ અરજીમાં જણાવાયું:
જામનગર તા.૨૧ : જામજોધપુરના તરસાઈ ગામના એક યુવાને પોલીસે ફરિયાદમાં હળવી કલમ લગાડ્યાની અને બે આરોપીના નામ ગુમ કરી દીધાની રજૂઆત કરતી અરજી જિલ્લા પોલીસવડાને પાઠવી છે.
જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના વાડી વિસ્તારમાં થોડા દિવસ પહેલા મેસુર રાજાભાઈ કોડીયાતર નામના યુવાન પોતાના મકાનના બાંધકામ માટે અગાઉથી ચાળીને રાખવામાં આવેલી રેતી ભરવા ગયા ત્યારે જામસખપુર ગામનો વિજય લાખાભાઈ મુછાર આવ્યો હતો.
આ શખ્સે રેતી ભરી લીધી હતી. તેને મેસુરભાઈએ ના પાડતા ઝઘડો શરૂ કરાયો હતો. તે પછી પોતાના ખેતરે ચાલ્યા આવેલા મેસુરભાઈ પર વિજય લાખા, રામા લાખા, મેસુર અરજણ મુછાર, કાના દેવા, અરજણ ગોગન, લાખા કરણા સહિતના શખ્સોએ હુમલો કરી માર માર્યાે હતો.
આ શખ્સોએ કુહાડી, લાકડી, પાઈપ વગેરે હથિયાર વડે મેસુરભાઈ, રાજા નથુભાઈ, રાજા રામા, બ્રિજેશને ઈજા પહોંચાડી હતી. આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી પોલીસે એફઆઈઆરમાં અરજણ ગોગન, લાખા કરણાના નામ ન લખ્યાનું અને હળવી કલમ લગાડી હોવાનું જણાવી જિલ્લા પોલીસવડાને અરજી પાઠવાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial