Advertisement
Author: નોબત સમાચાર

સહી કરેલા કોરા ચેક રસ્તા પરથી મળી આવતા બેન્કને પરત કર્યા

વીરવાવ-કાલાવડના પૂર્વ સરપંચને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગરના સતત ભીડભાડવાળા અને સતત લોકોની અવર-જવરવાળો વિસ્તાર એટલે લાલબંગલા સર્કલમાં રસ્તા પર કોઈ અજાણ્યા વ્યકિતના કોરા ચેક સહિ (સાઈન) કરેલા રસ્તા પરથી મળી આવ્યા હતાં. પરંતુ રાહદારીએ લોભ-લાલચ રાખ્યા વગર પરત કરવા નિર્ણય લીધો હતો.

ગઈકાલે જામનગરમાં કોટક મહિન્દ્રા બેંકના કોરા ચેક આગળ પાછળ સહી (સી.જે. ગોસ્વામી) કરેલા ચેક વીરવાવ કાલાવડના પૂર્વ સરપંચ મગનભાઈ વઘોરાને મળી આવ્યા હતાં. તેમણે પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકીનો સંપર્ક કર્યો હતો. અને કોટક મહિન્દ્રા બેન્ક ટાઉનહોલ બ્રાન્ચના મેનેજર હાર્દિકભાઈને રૂબરૂ આપીને કોઈની જીવનભરની કમાણી પરત કરવાનું સરાહનીય કામ કરવામાં આવ્યું હતું અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૃં પાડયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh