Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ત્રણ શ્રમિક સારવાર હેઠળઃ
જામનગર તા. ૧૯: જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-૩માં એક કારખાનામાં રવિવારે અકસ્માત સર્જાયો હતો. એક ભઠ્ઠીમાં ઉકળી રહેલો પિત્તળનો રસ ઉડતા ચાર શ્રમિક દાઝયા હતા. જેમાંથી એક શ્રમિકનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. ભઠ્ઠીમાં સંભવિતઃ રીતે ગેસનું પ્રમાણ વધતા બ્લાસ્ટ થયો હતો અને તેના કારણે એક શ્રમિકે જિંદગી ગૂમાવી છે.
જામનગરના જીઆઈડીસી ફેસ-૩માં પ્લોટ નં.૩૬૬૨માં આવેલા શાંતિ મેટલ નામના કારખાનામાં રવિવારે સાંજે કેટલાક શ્રમિકો કામ કરતા હતા ત્યારે અચાનક ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો હતો. જેના પગલે ભઠ્ઠીમાં ઉકળી રહેલો પિત્તળનો ગરમ રસ નજીકમાં રહેલા વિજયપાલ તેજારામ (ઉ.વ.ર૧) નામના મૂળ ઉત્તરપ્રદેશના પીલીભીત જિલ્લાના ધનકુની ગામના શ્રમિક સહિત ચારને ઉડ્યો હતો.
આ અકસ્માતમાં દાઝી ગયેલા અન્ય ત્રણ શ્રમિક-અનિલ રાજેશભાઈ કમલ, સંજય પાસમલ અને સોમપાલ નામના શ્રમિકોને ૧૦૮ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વિજયપાલનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. સોમપાલ તેજારામનું પોલીસે નિવેદન નોંધ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial