Advertisement
Author: નોબત સમાચાર

ફિડીંગ કેનાલના કામ થકી વરસાદી પાણી રોકાતા રણમલ તળાવ આ વર્ષે પૂરૃં ભરાશે ખરૃં ?

જામનગરના લાખેણા લેકની આ કામગીરી ચોમાસા ટાણે જ હાથ ધરવા પાછળનું રહસ્ય શું ?

                                                                                                                                                                                                      

જામનગરના લાખેણા રણમલ તળાવમાં વરસાદી પાણીની આવક માટેની કેનાલની કામગીરીમાં વરસાદ સમયે ગ્રહણ ટાણે સાપ જેવી સ્થિતિ સર્જાય છે... રાજાશાહી સમયના અને જામનગરની શાન અને શહેરના અનેક વિસ્તારના ભૂર્ગભજળને સદાય સજીવ રાખતા રણમલ તળાવની ફિડીંગ કેનાલની કામગીરી ચોમાસાની શરૂઆતમાં જ ચાલી રહી છે જેના પરિણામે વરસાદી પાણી તળાવમાં આવે નહીં તેવી સ્થિતિ નિર્માણ પામી છે... વરસાદ સમયે જ આ કામગીરી હાથ ધરાતા શહેરીજનોમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે... વરસાદી પાણી થી લબાલબ ભરાતું તળાવ આ વરસે ભરાશે કે નહીં ? વરસાદ સમયે જ આ કામગીરી હાથ ધરવા પાછળ તંત્રનો ઈરાદો શું...? મહાનગરપાલિકા તંત્રને આ કામગીરી હાથ ધરવી હોય તો આખું વરસ હતું શા માટે વરસાદ સમયે જ શા માટે કેનાલના નવીનિકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી તે સવાલ છે...

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh