Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧૯: જામનગરના સમાજસેવિકા ઉપાસના ઠક્કરનું એક જ દિવસે બે જગ્યાએ વિશેષ સન્માન કરાયું હતું.
જામનગરના પ્રખર સમાજ સેવિકા ઉપાસના નટવરલાલ ઠક્કર (ઉપાસના દીદી)નું તા. ૧૧-૦૬-૨૦૨૫, ગુરૂવારના બે અલગ અલગ પવિત્ર સ્થળોએ એક જ દિવસે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
ગુરૂવારે સવારે ભાટિયા શાંતિવન સ્મશાન ગૃહમાં પવિત્ર ક્ષણે અનંત શ્રી વિભૂષિત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર બ્રહ્મર્ષિ પૂ. શ્રી માં કનકેશ્વરી દેવીજીના આશીર્વાદરૂપે ઉપાસના ઠક્કરને સમાજસેવા માટે તેમના યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા.
જયારે સાંજે દ્વારકા સ્મશાન ગૃહમાં દ્વારકા-કલ્યાણપુરના ધારાસભ્ય પબુભા વિરમભા માણેકના હસ્તે પણ ઉપાસના ઠક્કરનું સન્માન કરાયું હતુ, જેમાં ધારાસભ્ય પબુભા ઉપરાંત દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ) અગ્રણી ઉદ્યોગપતિ (લાંબા-ભાટિયા) તથા ઇશ્વરભાઇ આર. ઝાખરીયા (પ્રમુખ, શ્રી શિવ ગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારકા) વિશેષ ઉપસ્થિતિમાં રહૃાા હતાં.
આ પ્રસંગે મળેલા સન્માનનો પ્રતિભાવ આપતા ઉપાસના દીદીએ કહ્યુ હતું કે આ બે પવિત્ર ક્ષણો મારા જીવનની અવિસ્મરણીય સાધનાઓ બની છે. જયારે સંતોના આશીર્વાદ અને ધારાસભ્યના હસ્તે એક જ દિવસે સન્માન મળ્યું ત્યારે એ કર્મને અનેકગણું બળ મળ્યું છે. આવું સન્માન માત્ર ગૌરવનો વિષય નથી, પણ વધુ ઊર્જાથી સમાજસેવામાં નવી દિશા આપવાનું સાબિત થયું છે.
તેમણે પૂ. માં કનકેશ્વરી દેવીજી, ધારાસભ્ય પબુભા માણેક, રઘુવંશી સમાજના યુવા અગ્રણી નિલેશભાઈ કાનાણી અને ભાટિયા તથા દ્વારકા સમાજના તમામનો અંતરથી આભાર વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial