Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક ઉદ્યોગકારો હાલમાં વેરો ભરવા તૈયાર નથી
જામનગર તા. ૧૯: જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગકારો પાસેની બાકી નીકળતી વેરાની વસુલાત માટે મહાનગરપાલિકા દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. પરંતુ અમુક ઉદ્યોગકારો હાલ વેરા ની રકમ ભરપાઈ કરવા તૈયાર નથી અને એસોસીએશનના પ્રમુખ સામે આલેખ કરી રહ્યા અને પ્રમુખ ના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. આમ ઉદ્યોગનગરના એસોશીએશન માં તડા પડયા છે. અમુક ઉદ્યોગકારોએ એસોસીએશનની કચેરીને તાળાબંધી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. અને પ્રમુખ દિનેશ ડાંગરીયા ઉદ્યોગકારોના હિત માટે નિષ્ક્રિય હોવાનો અને મહાનગરપાલિકા સામે તેનું નબળુ વલણ હોવાનો આરોપ લગાવી તેના રાજીનામાની માંગણી કરી હતી.
આમ, હવે અમુક ઉદ્યોગકારોએ એસો. ના પ્રમુખ અને મહાનગરપાલિકા સામે મોરચો માંડ્યો છે ત્યારે હવે શું ફેસલો લેવામાં આવશે એ તો આવનાર સમય જ કહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial