Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧૫ વર્ષથી જુના વાયરોના સાંધા મારીને કામ ચલાવાતુ હોવાની રાવઃ
ખંભાળીયા તા. ૧૯: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના બાંકોડી ગામે આવેલા વીજ તંત્રના ૬૬ કે.વી. સબ સ્ટેશન હેઠળ આવતા તમામ વીજ ફીડરોમાં વારંવાર ફોલ્ટ થતો હોય, વીજ પુરવઠો બંધ રહેતા ખેડૂતોને ભારે પરેશાની થતી હોય, ગઈકાલે વિશાળ સંખ્યામાં ખેડૂતોએ રોષપૂર્ણ દેખાવો કર્યા હતાં તથા બાંકોડી સબ સ્ટેશને ખેડૂતોના ટોળા ઉમટ્યા હતાં તથા ઈજનરને તાકીદે યોગ્ય કરવાની માંગ સાથે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
બાંકોડી સબ સ્ટેશનમાં આવતા તમામ વીજ ફીડરોમાં પંદર-પંદર વર્ષથી વીજ વાયરો બદલાવાયા જ નથી, જેથી જુના વીજ વાયરો વારંવાર તૂટી પડી જવાથી શોકસર્કિટ થવાની ઘટના બનતા વીજ પુરવઠો બંધ થાય છે અને ખેડૂતો પરેશાન થાય છે. કેટલીક વખત એક ફીડરમાં કામ કરવા માટે ટેકનિકલ સ્ટાફ બધા ફીડર બંધ કરવાની એલ.સી. લેતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.
વિશાળ સંખ્યામાં ખેડૂતોએ જામકલ્યાણપુરના સરપંચ એસોસિએશનના પ્રમુખ ડાડુભાઈ બેડીયાવદરા તથા અગ્રણીઓ પીઠાભાઈ વારોતરીયા, સામતભાઈ ગોજીયા, રામભાઈ ગોજીયાની આગેવાનીમાં મામલતદાર તથા વીજ તંત્રના અધિકારીને આવેદનપત્ર આપી તાકીદે આ પ્રશ્ન હાલ કરવાની માંગણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial