Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૯: જામનગર મહાનગર પાલિકાની ટેક્સ બ્રાંચ દ્વારા ઉદ્યોગનગરમાં ગત મંગળવારના વધુ ૨૬ આસામીઓ પાસેથી રૂ. ૧ કરોડ ૭૦ લાખની વસુલાત કરવામાં આવી હતી. જામનગર મહાનગર પાલિકાની ટેક્સ બ્રાંચ દ્વારા દરેડ જી.આઈ.ડી.સી. ફેઈઝ-૨ અને ૩ વિસ્તારમાં બાકી રોકાતો મિલકત વેરો વસૂલ કરવા માટેની કામગીરી મંગળવારે સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી. મહાનગરપાલિકાના ટેક્સ બ્રાંચના અધિકારી જીજ્ઞેશ નિર્મળની રાહબારી હેઠળ પોલીસતંત્રને સાથે રાખીને દરેડ જી.આઈ.ડી.સી. ના ફેસ -૨ વિસ્તારમાં બીજા દિવસે પણ અવરિત સર્વે કરવામાં આવ્યો હતો, અને ઉદ્યોગનગરમાં પ્રત્યેક કારખાનાઓમાં સંપર્ક કરીને વેરા વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મંગળવારે બીજા દિવસે સવારે ૧૧ વાગ્યાથી કામગીરીનો પ્રારંભ થયો હતો, અને સાંજે ૬ વાગ્યા સુધીમાં વધુ ૨૬ કારખાનેદારો પાસેથી ૧ કરોડ ૭૦ લાખની બાકી રોકાતા મિલકતવેરાની રકમ મહાનગરપાલિકાની ટીમ સમક્ષ જમા થઈ છે, ગઈકાલે પણ રૂ. ૧ કરોડ ૩૯ લાખની વસૂલાત કરવામાં આવી હતી. આ રિકવરીની કામગીરી અવરિત ચાલુ રખાઈ છે. જો કે બીજા દિવસે મંગળવારે કોઈ સીલીંગની પ્રક્રિયા થઈ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial