Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી દ્વારકાઘીશ સ્મૃતિચિન્હ-સંગીત શિલ્ડ-ઉપરણું ઓઢાડી
ભાટીયા તા. ૧૯: ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સુપ્રસિદ્ધ કલાકાર ગિરિશભાઈ અને તેમના પુત્ર હેત ભોગાયતાનું વિશેષ સન્માન સંસ્થાના અધ્યક્ષ તથા ગુજરાત સરકારના રજિસ્ટર્ડ આર્ટિસ્ટ એવા કમલેશભાઈ બથીયાના વરદ હસ્તે ભાટીયા કાર્યાલયમાં વિશેષ કાર્યક્રમ યોજીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભગવાન દ્વારકાધીશ સ્મૃતિ ચિહ્ન, સંગીત શિલ્ડ અને ઉપરાણું ઓઢાડીને પિતા-પુત્રનું વિશેષ સન્માન કરવામાં આવ્યું. સંગીતની દેવી માં સરસ્વતીના શાસ્ત્રીય સંગીત ઉપાસક તરીકે પિતા-પુત્રની સંગીતસાધના ભક્તિભાવથી યુકત છે.
એમ.એ., બી.એડ., એમ.ફિલ. (સંસ્કૃત) તથા પોરબંદરની સાંદિપની વિદ્યા નિકેતનના પૂર્વ છાત્ર તરીકે ગિરિશભાઈ ભોગાયતા એક શ્રેષ્ઠ કથાકાર અને પ્રભાવશાળી ગાયક તરીકે જાણીતા છે. શાસ્ત્ર, કથા અને સંગીત તેમનું જીવન છે. ભાટીયાની સરકારમાન્ય નવગુજરાત સંગીત વિદ્યાપીઠ વર્ષોથી સંગીત ક્ષેત્રે પ્રતિભાઓને પ્રોત્સાહન આપે છે. અને સાંસ્કૃતિક ઊછાળા માટે સમર્પિત રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial