Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ દિવસમાં પોલીસનો કરવાનો રહેશે સંપર્કઃ
જામનગર તા. ૧ઃ જામનગરના સિટી-સી ડિવિઝન પોલીસ મથકના પટાંગણમાં લાંબા સમયથી કેટલાક વાહનો ધૂળ ખાતા પડ્યા છે. ટ્રાફિક ડ્રાઈવમાં કે અન્ય ગુન્હાઓમાં ડીટેઈન કરાયેલા આ વાહનોના નિકાલ માટે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે.
જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ટ્રાફિક ડ્રાઈવ કે અન્ય ગુન્હોમાં ડીટેઈન કરવામાં આવેલા કેટલાક વાહનો લાંબા સમયથી પડતર પડ્યા છે. આ વાહનો છોડાવવા માટે તેમના માલિકો દ્વારા કોઈ તજવીજ કરવામાં આવી નથી.
આ પોલીસ મથકના પટાંગણમાં હાલમાં ધૂળ ખાતા પડેલા વાહનોના નિકાલ માટે પીઆઈ એ.આર. ચૌધરી તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી આરંભાઈ છે. પોલીસે આગામી પાંચ દિવસમાં આ વાહનો છોડાવી જવા તેના માલિકોને સૂચના આપી છે. ઉપરોક્ત વાહનો અંગે કોઈ ફાયનાન્સ પેઢી કે અન્ય વ્યક્તિ દ્વારા લેણું લેવાનું બાકી હોય તો તેઓએ પણ પોલીસ મથકનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial