Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ પ્રકરણમાં બંંેકને મળી કાનૂની પછડાટઃ
જામનગર તા. ૧ઃ જામનગરની એક બેંકે ધિરાણ સામે ગિરો મુકવામાં આવેલી જગ્યાનો કબજો મેળવવા કાનૂની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં બેંકને પછડાટ મળી છે.
જામનગરના ગોકુલનગર સાંઢીયા પુલ પાસે અમિષાબેન વડગામા નામના મહિલાના આવેલા પ્લોટનો કબજો મેળવવા માટે જામનગરની કેનેરા બેંકના અધિકારીએ ગયા વર્ષે કોર્ટમાં અરજી કરી હતી.
અરજીમાં તેઓએ જણાવ્યા મુજબ આ આસામી પાસેથી બેંકે રૃા.૧૦,૮૨,૯૫૯ની રકમ લેવાની બાકી છે અને આ જગ્યા ગિરો રાખવામાં આવી છે. તેથી સરફેસી કાયદા હેઠળ કબજો મેળવવા અરજી કરાઈ છે. અરજી અન્વયે થયેલી દલીલ દરમિયાન બેંકની બાકી રકમ ભરપાઈ કરી દેવાયા છતાં બેંક દ્વારા અન્ય લેણાં માટે તકરાર લેવાઈ હતી. તેની સામે બીજી મિલકતનો કેસ બે જગ્યાએ ચાલી ન શકવાની તકરાર ઉભી કરાઈ હતી. બીજી લોનના કાગળો રજૂ કરવા બેંકને જણાવાયું છતાં ત્રણ મહિના સુધી બેંક દ્વારા આધાર રજૂ ન કરવામાં આવતા અદાલતે કેનેરા બેંકની અરજી રદ્દ કરવાનો હુકમ રદ્દ કર્યાે છે. અમિષાબેન તરફથી વકીલ ગૌરવ પંડયા, મહંમદ મલેક રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial