Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જમીન ખરીદનારનો કરારના પાલનનો દાવોઃ
જામનગર તા. ૧ઃ જામનગરના લાખાણી ગામમાં આવેલી ખેતીની એક જમીન ખરીદનાર આસામીને કરાર મુજબ દસ્તાવેજ કરી ન અપાતા તેઓએ અદાલતનો આશરો લીધો છે. અદાલતે વચગાળાનો મનાઈહુકમ ફરમાવ્યો છે.
જામનગર તાલુકાના લાખાણી-નાનોવાસ ગામના ખાતેદાર કેશવજી કડવાભાઈ અકબરી તથા કંચનબેન અકબરીની જમીનમાંથી રતીલાલ જીવરાજ જાગાણીએ ૧૫ વીઘા જમીન ખરીદી હતી. તેનો અવેજ સ્વીકારી કરાર કરાયો હતો.
ત્યારપછી કેશવજી અકબરી કરાર મુજબ દસ્તાવેજ કરી આપતા ન હતા. તેથી રતીલાલે નોટીસ પાઠવી હતી. તેમ છતાં દસ્તાવેજ ન કરાતા જામનગરની ઓદાલતમાં કરારના વિશિષ્ટ પાલનનો દાવો કરાયો હતો અને વચગાળાના મનાઈહુકમની માગણી કરાઈ હતી. અદાલતે વચગાળાનો મનાઈહુકમ ફરમાવ્યો છે. વાદી તરફથી વકીલ જય અગ્રાવત રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial