Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧ઃ જામનગરના બેડી વિસ્તારમાં કુખ્યાત શખ્સે ખડકી દીધેલા બંગલા સહિતના બાંધકામને તોડી પાડવા માટે શનિવારે જિલ્લાના વહીવટી તથા પોલીસતંત્રએ શરૃ કરેલી ડિમોલિશન કામગીરી અંતર્ગત હાલમાં પાંચેક જેટલા મકાનોની ખરાઈ કરવામાં આવી રહી છે. જેની ચકાસણી પૂર્ણ થયા પછી ડિમોલિશન આગળ ધપશે.
જામનગરના બેડી વિસ્તારમાં આવેલી સરકારી જમીન પર ૨૬ વર્ષ પહેલાં રઝાક સાયચા નામના શખ્સે પોતાનો બંગલો ખડકી દીધાની ગયા સપ્તાહે મામલતદારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોંધાયેલા આ ગુન્હામાં આરોપીની ધરપકડ કરાયા પછી તે દબાણ હટાવવાની કામગીરી આરંભાઈ હતી.
શનિવારે સવારે કલેક્ટર તંત્ર તેમજ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના વડપણ હેઠળ બેડીમાં દબાણ હટાવ કામગીરી શરૃ કરવામાં આવી હતી. સાંજ સુધીમાં વિવાદિત બંગલા સહિતના ત્રણ બાંધકામોને જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યા હતા. તે ઉપરાંત અન્ય બાંધકામોની પણ ખરાઈ શરૃ કરાઈ હતી. હાલમાં વહીવટી તથા પોલીસતંત્ર દ્વારા પાંચથી વધુ મકાનના દસ્તાવેજ વગેરે બાબતોની ચકાસણી કરવામાં આવી રહી છે. તે પૂર્ણ થયા પછી ડિમોલિશન આગળ ધપાવવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial