Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના જામવંથલી માર્ગ પર રૃપિયા ર.૧૩ કરોડના ખર્ચે માઈનોર બ્રિજનું લોકાર્પણ

વરસાદી પાણી ભરાવવાની સમસ્યાઓનો અંત આવ્યોઃ કેબિનેટ મંત્રી

જામનગર તા. ૧ઃ જામનગર જિલ્લામાં જામવંથલી રોડ પર રોજિયા વંથલીના રસ્તે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે માઈનોર બ્રિજનું લોકાર્પણ કરી જણાવ્યું હતું કે, ગ્રામજનોની રજૂઆત અને સુવિધાને ધ્યાનમાં રાખીને માઈનોર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના થકી જામવંથલી તથા આજુબાજુના ગ્રામજનોની મુશ્કેલીઓનો અંત આવ્યો છે. ચોમાસાના સમય દરમિયાન આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા હવે નહીં રહે. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે. સૌની યોજના થકી ચોમાસા સિવાય પણ નદીનાળાઓ ભરેલા રહે છે, જેના થકી ખેડૂતોને ખેતીમાં ફાયદો થાય છે. રોજિયા વંથલી રોડ પર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૧ર મીટરના પ ગાળાના માઈનોર બ્રિજનું રૃા. બે કરોડ ૧૩ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. જેના થકી રોજિયા, વંથલી તથા આજુબાજુના ગામોને અને ગામના વાડી વિસ્તારના લોકો અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં લાભ મળી રહે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મેયબેન ગરચર, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રીમતી પ્રવિણાબેન ચભાડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી કુમારપાળસિંહ રાણા, તાલુકા પંચાયતના પ્રમુખ કાંતિભાઈ દૂધાગરા, અગ્રણીઓ, આજુબાજુના સરપંચો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh